યોગ વિજ્ઞાન અને આરોગ્ય

|| अथ योगानुशासनम् ||

યોગદર્શનની શરૂઆત ભગવાન પતંજલિએ આ સૂત્રથી કરી છે. જેનો શાબ્દિક અર્થ ‘યોગ સંબંધિત શાસ્ત્ર પ્રસ્તુત થાય છે’ એવો થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણા જીવનમાં યોગ પ્રસ્તુત થાય એવી મહર્ષિ પતંજલિને પણ આશા હોય. ચાલો આપણે આ સુત્રના અનુષ્ઠાન સાથે આપણા જીવનમાં યોગને પ્રગટ કરીએ.

યોગ અંગે આજકાલ આટલી બધી સાર્વત્રિક જાગૃતિ જોઇને આનંદ થાય છે. કદાચ એટલે જ આ લખાય છે, અને એટલે જ કદાચ વંચાય છે. મહર્ષિ પતંજલિ આપણી આવી રૂચી કે જાગૃતિ જો જુએ તો એમને તો હૈયે હરખ ના સમાય. પણ એમનો કે આપણો (કે ફક્ત આનંદ !!) શાશ્વત બનાવવો હોય તો...?

 

શવાસન

શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.

મૂળ સ્થિતિ પીઠ ઉપર શાંતિથી ચત્તા સૂઈ જાઓ.

 

હલાસન

આ આસનની અંતીમ સ્થીતીમાં શરીરનો આકાર હળ જેવો થતો હોવાથી એને હલાસન કહે છે.

શીર્ષાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે

સર્વાંગાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણાય છે.

Subscribe to