યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ

વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.

જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે

આજની ઝડપી ગતિ જીવનમાં આવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણાં કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે, જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગ એ રામબાણ દવા છે, જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીતની ગતિ પ્રાપ્ત કરે છે.

જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે

આજની ઝડપી ગતિ જીવનમાં આવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણાં કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે, જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગ એ રામબાણ દવા છે, જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીતની ગતિ પ્રાપ્ત કરે છે.

ડાયાબિટીસને યોગાભ્યાસ વડે મટાડી શકાય છે

ડાયાબિટીસ આજના સમયમાં એક ખૂબ જ સામાન્ય બિમારી બની ગઈ છે. લગભગ બધા જ ઘરોમાં આ બિમારી જોવા મળે છે.
ડાયાબિટીસ શરીરમાં ચયાપચયના અસંતુલનના લીધે થાય છે. પેન્ક્રિયાઝની બિટા કોષિકામાંથી ઈન્સ્યુલીનનો વધારે સ્રાવ કે શક્તિહીન સ્રાવ થવાથી ગ્લુકોઝ વધી જવાથી એ રક્ત / લોહીમાં ભળી જાય છે. શરીરની કોષિકાઓને ગ્લુકોઝ ઇન્સ્યુલીનની હજારીમાં જ મળી શકે છે. ઈન્સ્યુલીનની ગેરહાજરીથી કોષિકાઓ ચરબીનું શોષણ કરવાનું શરૂ કરે છે. એટલે જ હાઈ બ્લડપ્રેશર થાય છે. ડાયાબિટીસ પણ એક વારસાગત અને મનોદૈહીક રોગ છે. વારસાગત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે અને મનોદૈહિક ડાયાબિટીસને યોગા અભ્યાસથી મટાડી શકાય છે.
 

યોગ શું છે ?

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.

યોગ થી મોક્ષ સુધી

યોગ ના હેતુ વિવિધ પ્રકારના હોય છે. લોકો સ્વાસ્થ્ય સુધારવાથી લઈને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ સાધના કરતાં હોય છે. એવું કહેવામાં આવે છે કે યોગનો હેતુ મોક્ષ પ્રાપ્તિનો છે જે લૌકિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓમાંથી, (સંસાર)ના ચક્ર જન્મ અને મૃત્યુ માંથી મુક્તિ આપે છે..
યોગ શબ્દના બે અર્થ થાય છે જે મહત્વપૂર્ણ છે. પહેલો અર્થ છે કે જોડ અને બીજો અર્થ છે સમાધિ. જ્યા સુધી આપણે પોતે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચી શકાતું નથી. યોગ નાં તો દર્શન છે કે નથી ધર્મ, પરંતુ ગણિતથી થોડું વધુ છે. જેમ કે બે માં બે ઉમેરો તો ચાર જ આવે. તમે વિશ્વાસ કરો કે ન કરો, અજમાવી ને જોઈ લો.

યોગનો કરો ઉપયોગ ને ભગાવો રોગ

યોગનો અર્થ છે : યોગશ્ચિતવૃત્તિનિરોધઃ

એટલે કે યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. જે વ્યક્તિ ચેતનાના દૃષ્ટિકોણથી ઘટનાઓ, સમસ્યાઓ અને ઇચ્છાઓથી પ્રભાવિત છે એ ચોક્કસ પણે અથવા નિશ્ચિત રૂપે બિમાર જ કહેવાય.

આજના સમયમાં મોટાભાગની અથવા તો ૯૦% (ટકા) બિમારીઓ માનસિક હોય છે, જે તનાવ (સ્ટ્રેસ), અનિયમિત ખાન-પાન અને કુટેવોને લીધે જ થાય છે. અત્યારની આધુનિક અને નવા પ્રયોગો સાથે શોધાયેલી યોગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે.

 

યોગ વિજ્ઞાન અને આરોગ્ય

|| अथ योगानुशासनम् ||

યોગદર્શનની શરૂઆત ભગવાન પતંજલિએ આ સૂત્રથી કરી છે. જેનો શાબ્દિક અર્થ ‘યોગ સંબંધિત શાસ્ત્ર પ્રસ્તુત થાય છે’ એવો થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણા જીવનમાં યોગ પ્રસ્તુત થાય એવી મહર્ષિ પતંજલિને પણ આશા હોય. ચાલો આપણે આ સુત્રના અનુષ્ઠાન સાથે આપણા જીવનમાં યોગને પ્રગટ કરીએ.

યોગ અંગે આજકાલ આટલી બધી સાર્વત્રિક જાગૃતિ જોઇને આનંદ થાય છે. કદાચ એટલે જ આ લખાય છે, અને એટલે જ કદાચ વંચાય છે. મહર્ષિ પતંજલિ આપણી આવી રૂચી કે જાગૃતિ જો જુએ તો એમને તો હૈયે હરખ ના સમાય. પણ એમનો કે આપણો (કે ફક્ત આનંદ !!) શાશ્વત બનાવવો હોય તો...?

 

Subscribe to યોગ ભગાવે રોગ નિબંધ