યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ

વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.

ગાયનૅકોલૉજિક્લ સમસ્યાઓ અને યોગ

છોકરીઓ જ્યારે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમને માસિક ધર્મ ચાલુ થાય છે. કેટલીક વાર શરૂઆતના તબક્કામાં તેમને આ સંબંધિત કેટલીક તકલીફો ઉભી છાય છે. આવા સંજોગોમાં અમુક યોગોસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે.
 

કબજિયાતના રોગનો યોગ વડે ઈલાજ

કબજિયાત માત્ર શારીરિક નહીં, માનસિક અવસ્થા પણ છે. કબજિયાત રહેવા માટેનાં ઘણાં કારણો હોય છે. જેવી રીતે કે માનસિક તણાવ, જમવામાં અનિયમિતતા, જીવનશૈલીની અનિયમિતતા, ફળ, શાકભાજી, પાણી વગેરેનો ઉપયોગ ઓછો હોવાથી. મોડી રાતે સુવાનું, સવારમાં ચાલવાનું, એક્સરસાઈઝ, યોગ અને વ્યાયામ વગેરે જીવનમાં નહીં કરાતા હોવાથી સમસ્યા થાય છે. કબજિયાતના યોગિક ઉપાયો છે, તેને માટે નીચે મુજબ યોગાભ્યાસ કરવો.

યોગથી સંપૂર્ણ આરોગ્યપ્રદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ

ભારતમાં વિકસિત યોગ પદ્ધતિ આપણા જીવનને સ્વસ્થ રાખવા સમર્થ છે અને સૌથી અસરકારક છે. આજે વિદેશોમાં પણ તેને ખૂબ આવકાર મળ્યો છે. શા માટે યોગ અતિમહત્ત્વપૂર્ણ ગણાય છે, તેનાં કારણો આ રહ્યાં.

યોગ શું છે ?

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.

યોગથી અસાધ્ય અસ્થમા-દમને ઠેકાણે કરવો છે

દમ એક અસાધ્ય રોગ છે જે ફેફસાંની નળીઓમાં સંકોચનના કારણે થાય છે. દમ અનેક કારણોને લીધે થઈ શકે છે. જેમાંથી ઘણાં કારણો માનસિક, વારસાગત કે પછી એલર્જીના લીધે પણ હોય છે. આ એક માનસિક રોગ છે. મનમાં ડર, ભય, ગભરાટ, ઇર્ષા, ક્રોધ, ધૃણા, વિયોગ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાથી વગેરે કારણોથી ઉત્પન્ન થાય છે.
આ રોગ એલર્જી ઉત્પન્ન કરતાં પદાર્થોથી પણ થઈ શકે છે. જેમ કે, ધૂળ, પ્રદૂષણ, તેલનો વઘાર, સુગંધ કે વાસ વગેરેથી થઈ શકે છે. યોગના માધ્યમથી દમની બિમારીનો સંપૂર્ણ ઉપાય કે ઈલાજ શક્ય છે.
 

Subscribe to યોગ અને પ્રાણાયામ