યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ

વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.

જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે

આજની ઝડપી ગતિ જીવનમાં આવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણાં કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે, જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગ એ રામબાણ દવા છે, જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીતની ગતિ પ્રાપ્ત કરે છે.

જીવન જીવવાની શ્રેષ્ઠ કળા યોગ છે

આજની ઝડપી ગતિ જીવનમાં આવી ઘણી ક્ષણો છે જેણે આપણી ગતિને બ્રેક મારી દીધી છે. આપણી આસપાસ ઘણાં કારણો છે જે તણાવ, થાક અને ચીડિયાપણું આપે છે, જેના કારણે આપણું જીવન પરેશાન થાય છે. આવી સ્થિતિમાં જીવનને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા યોગ એ રામબાણ દવા છે, જે મનને ઠંડુ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. જીવનની ગતિ યોગથી સંગીતની ગતિ પ્રાપ્ત કરે છે.

યોગનો કરો ઉપયોગ ને ભગાવો રોગ

યોગનો અર્થ છે : યોગશ્ચિતવૃત્તિનિરોધઃ

એટલે કે યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. જે વ્યક્તિ ચેતનાના દૃષ્ટિકોણથી ઘટનાઓ, સમસ્યાઓ અને ઇચ્છાઓથી પ્રભાવિત છે એ ચોક્કસ પણે અથવા નિશ્ચિત રૂપે બિમાર જ કહેવાય.

આજના સમયમાં મોટાભાગની અથવા તો ૯૦% (ટકા) બિમારીઓ માનસિક હોય છે, જે તનાવ (સ્ટ્રેસ), અનિયમિત ખાન-પાન અને કુટેવોને લીધે જ થાય છે. અત્યારની આધુનિક અને નવા પ્રયોગો સાથે શોધાયેલી યોગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે.

 

Subscribe to યોગ અને આરોગ્ય